કોરોનાના નવા વેરીયન્ટને લઈને વિદેશ થી આવતા મુસાફરો નું સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જોકે સૌથી મોટી રાહતની વાત એ છે કે, છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ ની સુવિધા માટે ફોરેન કરન્સી એક્સચેન્જ સેન્ટર અને બેબી કેર સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. કે જ્યાં વિદેશથી આવતા પ્રવાસીઓ, કે જેઓ નાના બાળક ધરાવતા હોય તેઓ પોતાના બાળકની સંભાળ આ બેબી કેર સેન્ટરમાં પોતાના રોકાણ દરમિયાન રાખી શકશે.
સાથે સાથે વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટે આઈ સૉલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે તે હિસ્સામાં ફોરેન કરન્સી એક્સચેન્જ માટેનું કાઉન્ટર પણ ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાંથી પ્રવાસીઓ ટેસ્ટિંગ અને તેના પરિણામ આવ્યાના સમય દરમિયાન આ કાઉન્ટર પરથી જે તે દેશની કરન્સીમાંથી ભારતીય કરન્સી એક્સચેંજ કરાવી શકશે. દેશભરના કુલ 10 ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે 7 ડિસેમ્બરના રોજ કુલ 62 ઇન્ટરનેશનલ ફ્લાઇટનું આગમન થયું છે.જેમાં એક પ્રવાસી પોઝીટિવ આવતા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.
5
/ 100
SEO સ્કોર