અમદાવાદ ના મણિનગર સ્થિત કાંકરિયા સ્વામિનારાયણ મંદિર માં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી જોકે તરત જ સ્થળ ઉપર પહોંચી ગયેલા લોકો તેમજ મંદિર ના સંતો-ભક્તો સહિત ફાયર બ્રિગેડ ના જવાનો એ આગ વધુ પ્રસરે તે પહેલાં જ કાબુ માં લઇ લીધી હતી.
મણિનગરમાં પેટ્રોલપંપની સામે આવેલા કાંકરિયા સ્વામિનારાયણ મંદિરના સ્ટોર રૂમમાં અચાનક આગ લાગતા ભારે ગભરાટ ફેલાયો હતો અને મંદિરના સંતો તથા અન્ય સ્ટાફ દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી તેમ જ જાતે શકય તેટલો પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કરાયો હતો. દરમિયાન ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ફાયરબ્રિગેડનાં સૂત્રોના જણાવ્યા મુજબ, શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. આગ લાગી ત્યારે આસપાસની રૂમમાં કે સ્ટોર રૂમમાં કોઈ હાજર ન હતું તેમ જ આગ વધુ પ્રસરે તે પહેલા તેને કાબૂમાં લઈ લેવાઈ હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહતી. આ બાબતે મંદિર પરિસરના સંતે કહ્યું હતું કે, સ્ટોર રૂમમાં લાગેલી આગમાં સદનસીબે કોઈને ઈજા પણ થઈ નથી. ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં પ્રસરતા લોકોમાં આગ લાગ્યાની જાણ થતા લોકો મંદિરના રોડ પર આવી પહોંચ્યા હતા. દરમિયાન ફાયરબ્રિગેડ ના જવાનો એ પાણી નો મારો ચલાવી આગ કાબુ માં લઇ લેતા આગ આગળ પ્રસરતી અટકી હતી.