અમદાવાદ શહેર ના માધુપુરા વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમ્યાન બબાલ થતા પથ્થરમારો અને આગચંપી નો બનાવ બનાવ બનતા ભારે ભાગદોડ મચી ગઇ હતી. બેકાબૂ ટોળાએ એક ટુવ્હીલરમાં આગ ચાંપી દેતા ભારે અફરાતફરી મચી હતી, પથ્થરમારામાં પાંચ લોકો ને ઇજાઓ થઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને સાત લોકોની અટકાયત કરવામાં આવી છે. માધપુરાના શિવશક્તિનગરમાં લગ્નપ્રસંગમાં ચાલી રહ્યો હતો, ત્યાં કોઈક કારણસર બબાલ થતાં એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા હતા અને સામસામે ભારે પથ્થરમારો કર્યો હતો આ બનાવ ને લઈ આ વિસ્તારમાં ભારે તંગદીલી પ્રસરી ગઈ હતી.
