વડોદરા ની બે શાળા માં કોરોના ની એન્ટ્રી બાદ અમદાવાદની બે સ્કૂલો માં પણ કોરોનાનો કેસ નોંધાતા સ્કૂલ ને બંધ કરાઇ છે.
અમદાવાદ ના છારોડીની નિરમા વિદ્યાવિહારમાં ત્રણ વિદ્યાર્થી અને થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલની ધો.2ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારના ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, ઉપરાંત એક જ પરિવારના ધો.9 અને 11ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સંચાલકોના જણાવ્યા અનુસાર પિતાને ચેપ પછી બાળકો એક દિવસ સ્કૂલે આવ્યા હતા. વાલીએ સ્કૂલને કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે અગાઉ જાણ કરી ન હતી. સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે અને 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે.
હાલમાં ચારેય વિદ્યાર્થીની હાલત સ્થિર છે.
આમ હવે શાળાઓ માં બાળકો સંક્રમિત બનવાની ઘટનાઓ વધતા તંત્ર માં ચિંતા પ્રસરી છે.
નિરમા વિદ્યાવિહારના ધોરણ 5, 9 અને 11ના 3 વિદ્યાર્થી; ઉદ્ગમ સ્કૂલની ધોરણ 2ની વિદ્યાર્થિની પોઝિટિવ આવતા વાલીઓ માં ભારે ચિંતા જોવા મળી રહી છે.
5
/ 100
SEO સ્કોર