અમદાવાદ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બીમાર હોવાથી છેલ્લા ઘણા દિવસ થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં તબિયત વધુ લથડયા બાદ તેઓ નું નિધન થતા ભક્તો માં શોક ની લાગણી છવાઇ ગઇ છે સદગત સ્વામી ના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com વેબસાઇટ પર થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે જે સવારે 7 વાગ્યાથી ઓનલાઇન દર્શન ચાલુ છે. પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં.
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે હાલ કોરોના ની સ્થિતિ હોઈ કોઇ ભક્તો એ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી.તેઓ ના અંતિમ દર્શન માટે ઓન લાઇન વ્યવસ્થા કરવામાં આવી છે અને ગુરૂ શિષ્યના નાતે અંતિમસંસ્કારવિધિ પૂર્ણ થયા પછી સ્નાનવિધિ કરવી. આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી, પોતાની શક્તિ અનુસાર વિશેષ નિયમો લેવા અપીલ કરવામાં આવી છે.
