અમદાવાદ શહેરમાં રોગચાળા એ માઝા મૂકી છે અને અનેક લોકો બીમારી માં સપડાયા છે હાલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહયા છે અને એડિસ, એનોફીલિકસ અને કયુલેક્ષ પ્રકારના મચ્છર એ બૂમ પડાવી છે ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો અટકાવવા પોર્ટેબલ ફોગીંગ કરવાની જવાબદારી મનપા ની હોય છે તે લોકો એ હવે ચોમાસું પૂરું થવા આવ્યું ત્યારે આ કામગીરી માટે રૂ 3. 50 કરોડ નું ટેન્ડર બહાર પાડ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે રૂ. 3.50 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે,હવે ચોમાસાની ઋતું પૂર્ણ થવાના આરે છે ત્યારે ટેન્ડર બહાર પાડતા આ ટેન્ડર ને હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને બાદમાં આજે સ્ટેન્ડિગ કમિટીએ રૂ. 3.50 કરોડનું ટેન્ડર મંજુર કરી દીધું છે જેમાં ઉત્તર, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ફોગીંગ માટે સેન્ટ્રલ વેયરહાઉસિંગ કોર્પોરેશન 13 રૂપિયા પ્રતિ ઘર ફોગીંગ કરવા ચૂકવવામાં આવશે. HPC કોર્પોરેશનને પશ્ચિમ, દક્ષિણ, મધ્ય અને દક્ષિણ પશ્ચિમ ઝોન માટે રૂ. 10.35 પ્રતિ ઘર ફોગીંગ માટે ચુકવવામાં આવશે.
વર્ષ 2020 અને 2021માં 4 સપ્ટેમ્બર સુધીમાં જેટલા કેસો કોર્પોરેશન પ્રમાણે ડેન્ગ્યુના કેસો નોંધાયા છે એના કરતાં વધુ કેસો માત્ર 2021ના ઓગસ્ટ મહિનામાં જ વધ્યા છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 494 કેસો છે. જોકે કોર્પોરેશન દ્વારા આ આંકડો સત્તાવાર રીતે ઓછો બતાવવામાં આવ્યો છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુ અને પાણીજન્ય કેસોમાં ઝાડા-ઊલટીના કેસો વધુ પ્રમાણમાં આવ્યા છે. કોર્પોરેશન સંચાલિત શારદાબેન, એલજી, વીએસ અને અર્બન હેલ્થ સેન્ટરોમાં કેટલા કેસો ક્યાં ક્યાં આવ્યા છે એની કોઈ જ માહિતી આપવામાં આવતી નથી, જેથી સાચા આંકડા શુ છે તે ખબર પડતી નથી.
આમ તંત્ર ની લાપરવાહી ને લઈ જનતા ટેક્સ ચૂકવી ને પણ પોતાના અધિકાર પ્રાપ્ત કરી શકતી નહિ હોવાનું જણાય રહ્યુ છે.
