અમદાવાદ માં કોરોના ની સ્થિતિ માં ઠપ્પ થઈ ગયેલી કામગીરી હવે ધીરેધીરે શરૂ થઈ રહી છે કોરોના ની સ્થિતિ હદ થી વધુ બગડતા અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં તમામ આધારકાર્ડ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા હતા પણ હાલ માં અનલોક 1 અને 2ની ગાઈડલાઈન મુજબ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગ દ્વારા આધારકાર્ડ કેન્દ્રો પર નોંધણી અને અપડેશનની કામગીરી ફરી શરૂ કરી દેવામાંઆવી છે. અમદાવાદમાં જાહેર જનતા ને જણાવાયું છે કે તેઓ ટેલિફોનિક એપોઇન્ટમેન્ટ લઇ અને કેન્દ્રો પર નોંધણી કે અપડેશન માટે આવી શકે છે અને હાલ માં પ્રાયોગિક ધોરણે કામગીરી નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં ચોથમાળે આવેલી ઓફિસમાં શરૂ કરવામાં આવી છે.
આ માટે આ ટેલિફોન નંબર ઉપર ફોન કરવા જણાવાયુ છે 07929607004 આ નંબર પર સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીમાં ફોન કરી અને એપોઇન્ટમેન્ટ મેળવી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નોંધણી કે અપડેટ કરાવી શકશે. પ્રાયોગિક ધોરણે હાલમાં આ એક જ સેન્ટર પર કામગીરી શરૂ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં વોર્ડ ઓફિસમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવશે તેમ સૂત્રો એ માહિતી આપી હતી. આમ હવે ધીરેધીરે તંત્ર દ્વારા કામગીરી ની શરૂઆત કરવામાં આવી રહી છે.
