અમદાવાદ માં કોંગ્રેસ દ્વારા ટ્રેકટર માં નિકળનારી દાંડીયાત્રા નીકળે તે પહેલાં જ આગેવાનો ને નજરકેદ કરી લઈ અલગ-અલગ જગ્યાઓ પર ટેક્ટ્રરો ના ટાયરો ની હવા કાઢી નાખવામાં આવતા હવે કોંગ્રેસ ની રેલી નીકળવા મામલે રાજકારણ ગરમાયુ છે. અમદાવાદ માં ટ્રેક્ટર યાત્રા માટે કોંગ્રેસે આયોજન કર્યુ હતું, ગોતા વિસ્તારમાં યાત્રાના ટેક્ટ્રરોમાંથી હવા કાઢી નાખી હોવાના આક્ષેપ થયા છે. પોસ્ટર્સ ફાડી નાખ્યા અને આ સાથે ટ્રેકટરમાંથી હવા કાઢી હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે.
આજે અમદાવાદમાં ‘આઝાદી નો અમૃત મહોત્સવ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદમાં છે ત્યારે કોંગ્રેસે પણ દાંડી યાત્રા કાઢવા માટે તૈયારીઓ કરી હતી જોકે, કોંગ્રેસના નેતાઓને તેમની દાંડી યાત્રાના કાર્યક્રમને લઇને કોઈ મંજૂરી આપવામાં આવી નથી. પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓને નજર કેદ કરાયા છે. કોંગી ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ પોલીસે આવીને પૂછપરછ કર્યાનો દાવો કર્યો હતો. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે કોંગ્રેસની રેલી શરુ થાય તે પહેલાં જ કોઈએ ટ્રેક્ટરના ટાયરમાંથી હવા કાઢી નાંખી છે.
મોડી રાતે ઋત્વિક મકવાણાની અટકાયત કરાઇ હતી. જો કે અમિત ચાવડાની દરમિયાનગીરી બાદ તેમનો છુટકારો થયો હતો. બીજી તરફ અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખને પણ નજરકેદમાં રાખવામાં આવ્યા છે. આ અંગે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા બપોરે અઢી વાગે દાંડી યાત્રા કાઢશે, અમારા નેતાઓને પોલીસે નજર કેદ કરવાનો પ્રયત્ન કર્યો છે. દેશમાં લોકશાહી અને સ્વતંત્રતાનો અધિકાર છે ત્યારે સરકારે જેટલા અત્યાચારો કરવા હોય એટલા કરી લે. અમે ગાંધી વિચારધારાને આગળ ધપાવવા માટેની લડાઈ લડતા રહીશું.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી.યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ છે. દર વરસે કોંગ્રેસ દાંડી યાત્રા કાઢતી હોવા છતા આ વખતે મંજૂરી ન અપાતા સવાલ ઉઠાવ્યા છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસની દાંડીયાત્રાને સાબરમતી આશ્રમથી મંજૂરી ન મળતા પત્ર લખ્યો છે. તેમણે મંજૂરી માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યાં મુજબ કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીના એક આહ્વાન પર જીવ ન્યોછાવર કર્યા. 1930ની દાંડિયાત્રા સંઘર્ષનું સોપાન છે. વડાપ્રધાન પ્રથમવાર દાંડીયાત્રા કરી રહ્યા છે તે આવકાર્ય છે. પણ સાથે સાથે કોંગ્રેસ પક્ષને પણ સંઘર્ષને સ્મરણ કરવાનો હક છે. વડાપ્રધાનના કાર્યક્મ બાદ કોંગ્રેસ પક્ષને યાત્રાની મંજુરી આપવા હસ્તક્ષેપ વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે.