અમદાવાદ માં કોરોના વિસ્ફોટ થયો છે અને અહી રોજના સરેરાશ 3 હજાર જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે. આમ, અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે 2600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદમાં માત્ર એપ્રિલ મહિનામાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
રાજ્યના કુલ 4,04,569 કેસમાંથી 25 ટકા કેસ માત્ર અમદાવાદના છે જેમાં મૃત્યુઆંક મામલે પણ અમદાવાદ સૌથી આગળ છે અહીંનો મૃત્યુઆંક 2.60 ટકાની આસપાસ છે. જ્યારે મુંબઈ આ મામલે 2.20 ટકા સાથે બીજા સ્થાને છે. દિલ્હી તેમજ ચૈન્નઈમાં પણ મૃત્યુઆંક 2 ટકાથી નીચે નોંધાયો છે. હાલની સ્થિતિમાં અમદાવાદમાં રોજના 50 કોરોના દર્દીઓ ના મોત થયા ની વાસ્તવિક હકીકત બહાર આવી ચૂકી છે.
આમ મુંબઈ બાદ અમદાવાદ બીજા ક્રમે રહ્યું છે.
