અમદાવાદ શહેરમાં રિલીફ રોડ પાસે આવેલી કડિયા કુઈ પાસે વર્ષો જૂના બિલ્ડિંગનો સ્લેબ પડતા રસ્તા ઉપર થી પસાર થઈ રહેલા બે પુત્રીઓ સાથે માતા દટાઈ જતા ફાયરબ્રિગેડ આવે એ પહેલાં સ્થાનિક લોકો એ રેસ્કયુ હાથ ધરી લોકો એ એક-એક પથ્થર હટાવી બે પુત્રીઓ અને માતાને બહાર કાઢ્યા હતા બહાર કાઢ્યા હતા જેમાં એક દીકરી અને માતાનાં મોત થઈ ગયા હતા જયારે એક પુત્રી બચી ગઈ હતી.
વિગતો મુજબ અમદાવાદ ના જમાલપુર રાજ હોસ્પિટલ પાસેના શાલિન ફલેટમાં રહેતાં નાઝિયાબાનુ શેખ (31) મંગળવારે સાંજે 5.45 વાગ્યે દીકરી જોહરા(12) અને આખ્તાબાનુ(7) સાથે રિલીફ રોડ કડિયાકૂઈ ચાર રસ્તા પાસેથી સોદાગરની પોળ તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન જ રોડ પરના 3 માળના જર્જરિત મકાનની બાલ્કની તેઓ ઉપર તૂટી પડી હતી જેથી ત્રણેય કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા જેઓ ને લોકો એ બહાર કાઢ્યા હતા અને
હોસ્પિટલમાં લઈ ગયા હતા જેમાં 31 વર્ષ ના નાઝિયાબાનુ અને 7 વર્ષ ની માસૂમ આખ્તાબાનુનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 12 વર્ષ ની જોહરાની હાલત ગંભીર છે. જે મકાનની બાલ્કની ધરાશાયી થઇ એ મકાન રજબ મંસૂરી (65)નું હતું અને ત્યાં તેઓ અને તેમનાં પત્ની હલીમાબહેન(62) રહેતાં હતાં. બાલ્કની પડી ત્યારે હલીમાબહેન ઘરમાં જ હોવાથી ફાયરબ્રિગેડના જવાનોએ તેમને હેમખેમ નીચે ઉતાર્યાં હતાં. આ બનાવ ને લઈ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.