અમદાવાદ માં કોરોના ની સ્થિતિ નિયંત્રણ માં આવ્યા બાદ હવે છેલ્લા 15 દિવસ માં પાણીજન્ય રોગો એ માથુ ઉચકતા રોગચાળા ની સ્થિતિ વકરી છે અને એક વ્યક્તિ નું મોત થયું છે.
ચોમાસા માં ખાસ કરીને ઝાડા-ઉલટી અને કમળાના કેસો વધ્યા છે. અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલી લેબર કોલોનીમાં કામ કરતા મજૂરનું ઝાડા-ઉલટી થતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું માત્ર 12 કલાકમાં જ સારવાર દરમિયાન મોત થયું છે, અમદાવાદ માં ઝાડા-ઉલટીના કેસો વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે અમદાવાદ નું આરોગ્ય વિભાગ ત્વરિત પગલાં ભરાય તે જરૂરી બન્યું છે.
અમદાવાદ માં ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં 24 જુલાઈ સુધી શહેરમાં ઝાડા-ઉલટીના 529 કેસો, કમળાના 125 કેસો, ટાઇફોઇડના 114 કેસો અને કોલેરાના 80 કેસો નોંધાયા છે. જોકે ગત અઠવાડિયે કરેલા સર્વેમાં અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ટાઇફોડ અને ઝાડા-ઉલટીના કેસો વધુ મળી આવ્યા હતા. જે વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે પણ રોગચાળો વકરે તે પહેલાં ત્વરિત પગલાં ભરાય તે જરૂરી છે.
