અમદાવાદ માં નકલી બાવાઓ નું રૂપ ધારણ કરી ભોળા માણસો ને આશિર્વાદ આપવાના બહાને સોનાના દાગીના અને રોકડા રૂપિયા પડાવતા ઠગ લોકો ને વાસણા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે,જેમાં અનેક ગુનાઓ ઉકેલાવા ની સંભાવના છે.
વાસણા પોલીસે નકલી નાગા બાવા બની લોકો ને લૂંટતા સાગર નાથ મદારી, સાહેબનાથ મદારી, રાજુનાથ ભાટી અને વિજય નાથ ગોસાઈ ને ઝડપી લઈ પાંજરે પૂર્યા છે. આ તમામ ઈસમો દહેગામ અને મહેમદાવાદના હોવાની વિગતો ખુલી છે.
આ ઈસમો કેસરી ખેસ ખભે નાખી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ગાડી લઈ નીકળતા હતા અને મંદિરની આસપાસ કોઈ દાગીના પહેરીને મંદિર આવતા ધાર્મિક વૃત્તિ ધરાવતા ભોળા માણસો ને રોકી મંદિરનું સરનામું પૂછતાં હતા અને બાદમાં ગાડીમાં પાછળ નાગા બાવા બેઠા છે દર્શન કરી આશીર્વાદ લો કહીને નાગા બાવા બનીને બેઠેલો શખ્સ ધબ્બો મારી આશીર્વાદ આપતો હતો અને તે દરમ્યાન ભોળા માણસે પહેરેલા સોનાના દાગીના કઢાવી ફૂંક મારી પરત આપવાનું કહી દાગીના લઈ ભાગી જતા હતા પોલીસે આ ઈસમો કઈ રીતે લોકોને લૂંટતા હતા તે માટે ડેમો કરાવ્યો હતો. જેમાં પોલીસે તેઓને ગાડી લઈને અલગ અલગ વિસ્તારમાં ફેરવ્યા હતા. આબેહૂબ નાગા બાવા બનીને લોકોને છેતરતા અને લોકો ધાર્મિક માણસ હોવાનું માની બાવાઓને 200થી લઈ બે ત્રણ ચાર હજાર રૂપિયા પણ આપી દેતા હોવાનું ખૂલ્યું હતું.
વાસણા ખાતે રહેતા 69 વર્ષના નિવૃત્ત જીવન ગાળતા શંકરભાઈ નાગર નામના બુઝુર્ગ ને પણ આ ઠગ લોકો એ ટાર્ગેટ કરી હાથમાં એક ગુરુ ગ્રહના નંગ વાળી સોનાની વીંટી પણ તા. 21મી મે ના રોજ આ ઈસમો એ લૂંટી લીધી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ઠગ ટોળકી ને ઉઠાવી લેતા વધુ ભેદ ખુલવાની શકયતા છે.
