અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ રોડ ઉપર એક કોમ્પ્લેક્સના ભોંયરામાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગનો બનાવ બનતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં જ 15 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણી નો મારો ચલાવી આગ ને કાબુ માં કરી હતી. જોકે આગની આ ઘટના માં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
કોમ્પ્લેક્સમાં નીચે દુકાનો અને ઉપર રહેણાક હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો,નવરંગપુરા વિસ્તારમાં લાઈફ કેર હોસ્પિટલની બાજુના એક કોમ્પ્લેક્સમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
