કોરોના ની સ્થિતિ માં સરકાર દ્વારા પ્રજા ને રાહત આપવાની જગ્યા એ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કરી જનતા ની કમ્મર તોડવાનું કામ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો કેટલાય દિવસ થી વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદમાં આજે વિરોધ કરી રહેલા કોંગ્રેસ ના નેતાઓને સરદારબાગના દરવાજા બહાર નીકળતાની જ અટકાયત કરવાનું પોલીસે શરૂ કરી દીધું હતું. જેમાં કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પદયાત્રામાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સહિતના નેતાઓ, કોર્પોરેટર જોડાયા હતા. યુથ કોંગ્રેસના નેતાઓએ પોલીસની આ કામગીરી નો વિરોધ કરી રસ્તા પર સુઈ ગયા અને ગાડી ઉપર ચડી ગયા હોવાના શીન થયા હતા.
કોંગ્રેસ દ્વારા ભાવ વધારા ની વિરુદ્ધ માં પદયાત્રાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પણ પોલીસે મંજૂરી આપી ન હતી. સરદારબાગ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે કાર્યક્રમની મંજૂરી આપી ન હોવાથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવાનું પહેલાથી નક્કી હતું. ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર સહિત 50થી વધુ કાર્યકરો હાલમાં સરદારબાગ ખાતે ભેગા થયા હતા.
ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરાશે. ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી “બોલશે ગુજરાત”માં સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી પ્રજાની વેદનાને વાચા આપશે. આમ ભાજપ ની પ્રજા વિરોધી નીતિ સામે કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે ઘર્ષણ ના બનાવો બહાર આવી રહ્યા છે.
