અમદાવાદ: આજથી 40 વર્ષ અગાઉ નો સમય જુદો હતો કે જ્યારે માણસ વિશ્વાસ ઉપર ચાલતા હતા અને ખોટું કરતા શરમાતા હતા પરંતુ આજે જો કોઈની ઉપર આંધળો વિશ્વાસ કરવા જાવ તો છેતરાવા નો અને પસ્તાવા નો વારો આવી શકે છે આવાજ પ્રકારની ની બનેલી ઘટના માં 20 વર્ષ ની પારિવારિક સંબંધ ધરાવતા ઠગ દંપતીએ પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતા હોવાનું જણાવી એક પરિવારના સભ્યો પાસેથી 9 વર્ષમાં રૂ. 51.85 લાખ નું કરી નાખ્યું હતું અને વિશ્વાસ ઉભો કરવા પૈસા જમા કરાવ્યા હોવાની 9 વર્ષની નકલી પાસબુકો પણ આપી હતી.
વસ્ત્રાપુર માનસી ચાર રસ્તા પાસેના ગોયલ પ્લાઝા ફ્લેટમાં રહેતા 64 વર્ષીય કિશોરભાઈ પંડ્યા એ આપેલી ફરિયાદ મુજબ, સેટેલાઇટમાં સોમેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા હરેશ શ્રીવાસ્તવ અને કાજલબેન શાહ આંબાવાડી પ્રેસિડેન્ટ હાઉસમાં પુષ્ટિ ટ્રાવેલ્સમાં ઓફિસ ધરાવે છે. તેમણે 2010થી 2019 સુધીમાં કિશોરભાઈ અને તેમના પરિવારને પોસ્ટની જુદી જુદી સ્કીમોમાં કુલ 51.85 લાખ રોકાણ કરાવ્યું હતું. 2019માં કિશોરભાઈ પોલિટેક્નિક પોસ્ટ ઓફિસમાં ગયા ત્યારે ખબર પડી કે તેમના નામનું એકપણ ખાતું ખૂલ્યું જ નથી. ત્યારબાદ કિશોરભાઈએ બંને પાસેથી પૈસા માગતા તેઓ ગલ્લાંતલ્લાં કરતાં હતાં. આ અંગે કિશોરભાઈએ વસ્ત્રાપુર પોલીસમાં ઠગ દંપતી સામે ફરિયાદ નોંધાવી છે.આમ, છેતરાયા બાદ તેઓ ને બીજા ઉપર આંધળો વિશ્વાસ મુકવાનું ભારે પડ્યું હતું.
