અમદાવાદ માં બે વાહન વચ્ચે અકસ્માત થતા થયેલા ઝગડા માં 10 અબોલ જીવ નો જીવ બચી ગયો હોવાની ઘટના પ્રકાશ માં આવી છે અમદાવાદ ના સિંધુ ભવન રોડ પરથી 10 પાડા ભરીને જઈ રહેલી બોલેરો જીપને આગળની કાર સાથે સામાન્ય અકસ્માત થતા કારમાં સવાર 4 યુવાનોએ બોલેરો જીપના ડ્રાયવર અને કલીનર સાથે ઝગડો કરી મારામારી કરતા થયેલા ઝગડા માં બોલેરો જીપમાં 10 પાડા હોવાનું જાણવા મળતા યુવાનોએ પોલીસને ફોન કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસ દરમિયાન આ અબોલ જીવ ને કતલખાને લઈ જવાતા હોવાનું ખુલતા 10 પાડાનો જીવ બચ્યો હતો.
કાર ને પાછળ થી ટક્કર મારનાર બોલરો ને અટકાવી કાર માં સવાર 4 યુવાનોએ બોલેરો ના ડ્રાયવર અને કલીનર સાથે ઝગડો કરીને મારામારી દરમિયાન બોલેરોમાં કતલખાને લઈ જવાતા 10 પાડા જોવા મળતા જ કાર ચાલકે ફરિયાદ કરતા પોલીસે બોલેરો જીપના ચાલક મોહંમદ જાવેદ મુસ્તાક મહેમદ શેખ અને ફૈઝ મહંમદ શેર મહંમદ મેવ( બંને.રહે.બહેરામપુરા)વિરુધ્ધ ગુનો નોંધી 10 પાડા અને બોલેરો જીપ કબજે કરી હતી. જ્યારે સામે પક્ષે કારમાં સવાર 4 યુવાનોએ મોહંમદ જાવેદ અને ફૈઝ મહંમદ સાથે મારામારી કરી હોવાથી મોહંમદ જાવેદે પણ આ અંગે ચારેય વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મારા મારીની ફરિયાદ નોંધાવી હતી.
આમ અકસ્માત ની ઘટના માં અબોલ જીવ નો બચાવ થયો હતો.
