અમદાવાદ માં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે હજુ ફાયનલ કોઈ નિર્ણય લેવાયો નથી પણ આજે ગતરોજ જળયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન ને ગજવેશ ધારણ કરાયો હતો.
બાદ માં ભગવાનને નીજ મંદિરથી તેમના મોસાળ સરસપુર ખાતે લાવવામાં આવ્યા હતા અને મોસાળમાં ભગવાનની આરતી બાદ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. કોરોનાને કારણે દર વર્ષની જેમ ધામધૂમથી નહી પરંતુ સાદગીથી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમાસ સુધી ભગવાન મોસાળમાં રહેશે ત્યાર બાદ નીજ મંદિર પરત ફરશે.
ભગવાનને નીજ મંદિરથી સરસપુર માં આવેલ રણછોડજીના મંદિર એટલે કે ભગવાનના મોસાળ ખાતે લાવવામાં આવ્યા હતા. મોસાળ ખાતે દર વર્ષ જેટલી ભીડ નહોતી પરંતુ સાદગીપૂર્ણ રીતે ઉમંગથી લોકોએ ભાગવાનું સ્વાગત કર્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની આરતી ઉતારવામાં આવી હતી અને તે બાદ ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.આજથી અમાસના દિવસ સુધી ભગવાન મોસાળમાં રહેશે જ્યાં ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે રથયાત્રા અગાઉ ની તમામ વિધિ ખુબજ ધૂમધામ થી યોજાય છે પણ છેલ્લા વર્ષથી કોરોનાને કારણે તમામ વિધિ સાદગીથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ભગવાન મોસાળે આવે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત થતું હોય છે. પણ કોરોના ના કારણે બે વર્ષ થી સાદગીથી સ્વાગત અને ઉજવણી કરાય છે. દર વર્ષે ભજન મંડળી દ્વારા રોજ સાંજે ભજન યોજાય છે. ત્યારે હવે કોરોનાને કારણે ભજન પણ નહીં યોજાય અને તમામ નિયમોના પાલન સાથે ભાવિકો એ દર્શન કરવાના રહેશે. જોકે, રથયાત્રા કાઢવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
