અષાઢી બીજ ના આજના દીને અમદાવાદ માં દર વર્ષની જેમ સવાર થી જ ભગવાન શ્રી જગન્નાથજી મંદિર માં ભારે હર્ષોલ્લાસ નો માહોલ છે અને વાજતેગાજતે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતા.14 જેટલા ગજરાજ યાત્રા ની અવળ ચાલી રહ્યા હતા.સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યાછે. ત્યારબાદ 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને અને આવ્યા 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા છે. દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે. રથ પર જાય તે પહેલા તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. વહેલી સવારેમંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં હતા અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણી સાથે મંદિર પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ સોના ની સાવરણી થી ઝાડુ મારી ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને ગૃહ મંત્રી પ્રદીપસિંહે પહિંદ વિધિ કરી હતી. જોકે હાઈકોર્ટે રથને મંદિર પરિસરમાં જ ફેરવવા ની પરમિશન આપી હોય ગેટ પાસે પોલીસ ગોઠવાઈ ગઈ હતી. પોલીસે રથને કોર્ડન કરી લીધો છે.હાલ રથને રોકી લીધા બાદ મહંત અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ અને પોલીસવડા શિવાનંદ ઝાએ ઓફિસમાં ચર્ચા કરી. રથને મંદિરના ગેટ સુધી લઈ જઈ પરત લાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. વિજય રૂપાણી મંદિરેથી 7.10 રવાના થઈ ગયા હતા ના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મંદિર ના મહંત રથ ને બહાર નીકળવા માટે જીદ પકડી ને બેઠા છે જેને લઈ ને હાલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા,ડી.જી.પી.શિવાનંદ ઝા,કમિશનર આશિષ ભાટિયા સહિત ના લોકો સાથે મંદિર ના ટ્રસ્ટી અને મહંત ની બેઠક ચાલી રહી છે અને હાલ મંદિર ની બહાર સી.આર.પી.એફ. ની ટુકડી અને પોલિસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.
