અમદાવાદ માં એક લવ જેહાદ ના બનેલા બનાવ માં વસ્ત્રાપુરમાં રહેતી યુવતી મોઈનુદ્દીન કુરેશી નામના યુવકના પ્રેમમાં પડીને લગ્ન કરી લીધા બાદ મોઇનુંદ્દીને યુવતી ને ગર્ભવતી બનાવ્યા બાદ સંતાન પેદા કર્યા બાદ યુવતી ની બચત ના પૈસા વાપરી નાખી કાઢી મુકતા યુવતી ની જિંદગી નર્ક બની ગઈ છે. અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
યુવતી આંધળા પ્રેમ માં પાગલ થઈ હતી અને લગ્નના થોડા સમય બાદ જ યુવકે ધર્મ બાબતે યુવતીને હેરાન કરવાનું શરૂ કરી દીધું. યુવતીનો ધર્મ પોતાના ધર્મથી અલગ છે તેમ કહી પોતાનો ધર્મ ઘરમાં નહિં પાળવા દબાણ કરતો હતો. લગ્ન બાદ થયેલા બાળકને પોતાના ધર્મમાં જોડવા દબાણ કરતા યુવતીએ આખરે પોલીસની મદદ લીધી છે. પીડિત યુવતી હાલ તેના સાત માસના દીકરા સાથે પોતાનાં પિતાના ઘરે છે. જ્યારે યુવતીએ કમાયેલા લાખો રૂપિયા મોઈનુદ્દીને પોતાના મોજ શોખમાં ઉડાવી દીધા છે. માત્ર એટલું જ નહીં, યુવકે યુવતીનું ખોવાયેલું ક્રેડિટ કાર્ડ પિયરવાળા લઈ ગયા હોવાનો આરોપ પણ મુક્યો હતો. લગ્નના થોડા સમય બાદ યુવકે યુવતીને કહ્યું હતું કે તારે તારો ધર્મ પાળવો હોય તો તારા પિતાના ઘરે જઈને પાળવાનો. આ સમયે યુવતી ખુબ સારું કમાતી હતી. તેની પાસે અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ હતા. પત્ની કમાણીથી પતિ અવારનવાર નવા ફોન લાવી થોડા દિવસમાં જ તોડી નાખતો હતો. આ યુવકે ધીરે ધીરે કરીને કુલ રૂપિયા 6.50 લાખ જેવી રકમ વાપરી નાંખી હોવાનું યુવતી એ સ્ટેટમેન્ટ આપ્યુ હતું બન્ને એકજ મોલ માં કામ કરતા હતા જ્યાં પ્રેમ થઈ ગયો હોવાનું પોલીસ તપાસ માં બહાર આવ્યું છે. પ્રેમ માં પાગલ બની પાછળ થી પસ્તાવા નો વારો આવતો હોવાના અસંખ્ય કિસ્સા છતાં યુવતીઓ પોતાના જીવન બરબાદ કરતી હોવાના આવા બનાવો પ્રકાશ માં આવતા રહે છે આ મામલો પોલીસ મથક માં જતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
