અમદાવાદ માં શાકભાજી માર્કેટ માં વેપારીઓ હડતાળ ઉપર ઉતરી જતા શાકભાજી ના ભાવો વધી ગયા છે.વિગતો મુજબ અહી ના જમાલપુર એપીએમસી શાકમાર્કેટના 240 હોલસેલ વેપારીમાંથી પોલીસે માત્ર 53 વેપારીને જ પરવાનગી આપતા વેપારીઓ એ હડતાળ નું શસ્ત્ર ઉગામ્યુ છે.
બજારના અગ્રણીઓનું કહેવું છે. જથ્થાબંધ બજારમાં હડતાળને કારણે સીધી અસર છૂટક વેપારીઓ પર વર્તાશે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં જમાલપુર એપીએમસી શાકમાર્કેટમાંથી શાકભાજી સપ્લાય થાય છે ત્યારે પુરવઠો ખોરવાય તો તેની અસર શાકભાજીના ભાવ પર પણ વર્તાઇ છે અને ભાવ વધ્યા છે.
વેપારીઓ ની આક્ષેપ છે કે કોવિડ-19ના નિયમોનું પાલન કરવા છતાં પોલીસ તરફથી જીવન જરૂરી વસ્તુઓ માટે માત્ર 33 ટકા વેપારીઓ અને કર્ફયુના સમયમાં રાહત ન અપાતા વેપારીઓએ હડતાળ પાડવી પડી છે.
કોરોના વાઈરસને લઇને શહેરની જમાલપુર એપીએમસી હોસલેસ શાકમાર્કેટને જેતલપુર ખાતે ખસેડાઈ હતી. રથયાત્રા બાદ જેતલપુરથી પરત જમાલપુર એપીએમસી શાકમાર્કેટ શરૂ કરાયું હતું. પરંતુ શહેર પોલીસે જમાલપુરના 240માંથી માત્ર 33 ટકા એટલે કે 53 વેપારીઓને ત્રણ ત્રણ દિવસના ગાળામાં વેપાર કરવા પરવાનગી આપી છે. આ ઉપરાંત વેપારીઓને રાતના 9થી સવારના 6 વાગ્યાની પરવાનગી આપવામાં આવતાં બહારથી આવતાં ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે આ સમસ્યા નો તાત્કાલિક નિવેડો લાવવામાં આવે તે જરૂરી છે.
