અમદાવાદ ના દાણીલીમડા વિસ્તાર માં 21 વર્ષીય પરણીતા ઉપર પિતા સમાન સસરા શબ્બીર ખાને નજર બગાડી બળાત્કાર કરતા રહી ગયેલો ગર્ભ પડાવવા માટે પુત્રવધૂએ સેશન્ટ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે આ અરજી પર સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરનો અભિપ્રાય મંગાવ્યો છે.
સસરાએ આચરેલા બળાત્કાર ને કારણે 21 વર્ષ ની પુત્રવધુ ને ચાર માસનો ગર્ભ રહી જતાં પીડિતા એ ગર્ભ પડાવી દેવા સેશન્સ કોર્ટમાં દાદ માગી છે. પુત્રવધૂની દાદને ધ્યાનમાં રાખીને કોર્ટે તપાસ અધિકારીને પીડિતાની સિવિલ હોસ્પિટલના બે તબીબો દ્વારા તપાસ કરાવવામાં આવે તેમ જણાવી તે અંગેનો મેડિકલ રિપોર્ટ 13 જુલાઈએ કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ કર્યો છે.
દાણીલીમડામાં રહેતી 21 વર્ષીય પુત્રવધૂને તેની દીકરીને મારી નાખવાની ધમકી આપી સસરો સબીર શેખ અવારનવાર દુષ્કર્મ ગુજારતો હોવાની વાત બહાર આવી છે અને સસરાએ ગુજારેલા દુષ્કર્મના કારણે પુત્રવધૂને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો. સસરાના દુષ્કર્મનો ભોગ બનેલી પુત્રવધૂએ ચાર માસનો ગર્ભ રાખવા માગતી નથી અને મેડિકલ સારવાર કરાવી તેનો નિકાલ કરવામાં આવે તેવી દાદ માગી હતી. પુત્રવધૂની દાદ અંગે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, પીડિતાને રહી ગયેલો ચાર માસનો ગર્ભ રાખવો નથી તે અંગે તેણે સ્વેચ્છાએ લેખિતમાં આપ્યું છે. પીડિતા આ બાળકને જન્મ આપે તો ભવિષ્યમાં ઘણી તકલીફો ઊભી થાય તેમ છે. આથી આ ગર્ભનો નિકાલ કરવાનો આદેશ કરવામાં આવે તેવી અરજ કરવામાં આવી છે.