અમદાવાદ માં સોમવાર થી સાંજે 7: 30 વાગ્યે હોટલ બંધ કરવાની માત્ર અફવા હોવાનું મનપાએ આપેલ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે તેમાં જણાવાયુ કે, આ વાત માત્ર અફવા છે અને “માત્ર ચેકીંગ કરી જ્યાં ભીડ હશે ત્યાં જ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું કે, કોવિડ કેસમાં વધારો થતો 8 વોર્ડમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલ હોટેલ બંધ કરવાના કોઈ જ આદેશ આપવામાં આવ્યા નથી.
અમદાવાદ AMCએ નિયમ ભંગ કરાનારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીની બજાર બંધ કરાવી હતી જેમાં થલતેજ, જોધપુર, મણિનગર, પાલડીમાં કાર્યવાહી કરાઈ છે. તો આ સાથે નારણપુરા,અંકુર ચાર રસ્તા અને મણિનગર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે,ખાણીપીણી બજાર બંધની અફવા મામલે AMC એ ખુલાસો કરી જણાવ્યુ કે 7 : 30 વાગે હોટેલો બંધ કરવાની વાત માત્ર અફવા છે.
“માત્ર ચેકીંગ કરી જ્યા ભીડ હશે ત્યાં જ કાર્યવાહી થશે”
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હોટેલ, ખાણીપીણી બજાર 7;30 વાગે બંધ કરવામાં આવશે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું અને સોશિયલ મીડિયા પર મેસેજ પણ વાયરલ થયાં હતા જે ખોટી વાત હોવાનું તેઓ એ જણાવ્યું છે.