એક મહત્વ ના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમદાવાદ મનપા ના વિકાસ ખાતા દ્વારા આજે પરિપત્ર બહાર પાડી અમદાવાદ ની જૂની સોસાયટીના રિ-ડેવલપમેન્ટની સરળ પ્રક્રિયા જાહેર કરતા ઇમારતો પડવાની ઘટનાઓ માં ઘટાડો થશે.
પરિપત્ર માં જણાવ્યા મુજબ રિ-ડેવલપમેન્ટમાં આવતી સોસાયટીના ૭૫ ટકા કે તેથી વધુ સભ્યો રિ-ડેવલપમેન્ટની સમંતિ આપેલી હોય અને સોસાયટી ૨૫ વર્ષથી જુની હોય અથવા સક્ષમ સત્તા દ્વારા તેને ભયજનક ઘોષિત કરવામાં આવેલી હોય તો રિ-ડેવલપમેન્ટની મંજુરી મળી શકશે.
હવે સોસાયટીના ૧૦૦ ટકા સભ્યોની સમંતિનો આગ્રહ રાખ્યા વિના ૭૫ ટકા કે તેથી વધુ સભ્યો સમંત હશે તો રિ-ડેવલપમેન્ટને મંજુરી મળી શકશે. આ નિર્ણયથી અમદાવાદ શહેરમાં આવેલી ૨૫ વર્ષથી જુની કે તેથી વધુ જુની સોસાયટીના રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે. અસમંત સભ્યોની સમંતિ મેળવવા માટે કાયદાકીય બળ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં જુની સોસાયટીઓ જર્જરિત અને ક્ષતિગ્રસ્ત થયેલી હોય છે જેમાં સલામતીને જોખમ ઉભુ થાય છે. અગાઉ જુની જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ વધી છે જેના સંદર્ભમાં જુની જર્જરિત સોસાયટીના રિ-ડેવલપમેન્ટને સરળતાથી મંજુરી મળે તે માટે રાજ્ય સરકારે ગુજરાત ઓનરશીપ ફ્લેટ-૧૯૭૧નો સુધારો મંજૂર કર્યો હતો. તા.૨૧મી મે ૨૦૧૯ના રોજ ગુજરાત ઓનરશીપ ફ્લેટ-૧૯૭૧નો સુધારો મંજૂર કરાયો હતો પછી તા.૨૬મી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ગુજરાત ઓનરશીપ ફ્લેટ-૧૯૭૧નો સુધારોના રૂલ્સ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, જુની ક્ષતિગ્રસ્ત સોસાયટીના રિ-ડેવલપમેન્ટ માટે સોસાયટી ૨૫ વર્ષ જુની હોવી આવશ્યક હતુ સાથે મ્યુનિ. તંત્રએ તેને ભયજનક ઘોષિત કરેલી હોવી જોઇએ તે પણ શરત હતી. જોકે, સોસાયટીના રિ-ડેવલપમેન્ટમાં ૧૦૦ ટકા સભ્યોની સમંતિ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી ઘણીવાર કેટલાંક સભ્યો સમંત ન થાય તો સોસાયટીનું રિ-ડેવલપમેન્ટ થઇ શકતુ ન હતુ.આમ હવે નિયમો બદલાતા જુના મકાનો વાળી સોસાયટીઓ નું રી-ડેવલપમેન્ટ થવાનો રસ્તો આસન બન્યો છે
