રાજ્યના સિનિયર આઈએએસ હારિત શુક્લા સહિત 18 જેટલા તબીબો પણ કોરોના સંક્રમિત થયા ના અહેવાલો છે. IAS શુક્લા સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી છે અને તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ છેલ્લા અઢી મહિના જેટલા સમયથી આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે આરોગ્ય વિભાગમાં ફરજ પર હતા. છેલ્લા એક સપ્તાહથી શુક્લા રજા પર હતા. હાલ IAS હારીત શુક્લા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે અમદાવાદની SVP હોસ્પિટલમાં વધુ 8 ડૉક્ટર કોરોના સંક્રમિત બન્યા છે. તમામ ડોકટરો કોરોના ના દર્દીઓ ના સંપર્ક માં આવતા ચેપ લાગ્યો હોવાનું કારણ બહાર આવ્યું છે.
આ સિવાય અન્ય જુદાજુદા વિસ્તારમાં 10 ડોક્ટરો ને કોરોના પોઝિટિવ પોઝીટીવ રિપોર્ટ આવ્યા હોવાના અહેવાલ છે.આમ અમદાવાદ માં ફ્રન્ટ લાઇન વોરીયર કોરોના સંક્રમિત બની રહ્યા છે.
દસમાંથી છ ડોક્ટરો ની ઉંમર 30 વર્ષથી ઓછી જ્યારે એક 60 વર્ષથી વધુ ઉંમરના ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.
