અમદાવાદ હેબતપુરા ચાર રસ્તા નજીક આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝમાં રહેતા બુઝુર્ગ પટેલ દંપતી ની ગળું કાપીને નિર્દયતા થી હત્યા થતા ભારે ચકચાર મચી ગઇ છે. ચોરીના ઈરાદે ઘરમાં ઘુસેલા શખ્સોએહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. અમેરિકા નું નાગરીત્વ ધરાવતા અશોકભાઈ કરસનદાસ પટેલ અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા થઈ છે. હતી.પોલીસને આ મામલે ઘરઘાટી અથવા તો જાણભેદુ શખ્સોએ હત્યા નીપજાવી હોવાની આશંકા છે. મૃતક નો પુત્ર હેતાર્થ પટેલ હાલમાં દુબઈ રહે છે. તેમજ મૃતક દંપત્તિ પણ લોકડાઉનના સમયગાળામાં દુબઈ હતાં. તેમનો ઘરઘાટી હાલ અહીંયાં જ છે. તે ઉપરાંત તેમના ઘરનો દરવાજો પણ તોડી નાંખવામાં આવ્યો છે. તેમની દિકરી મેઘા હાલમાં અમદાવાદમાં નારણપુરામાં રહે છે , અશોકભાઈની લાશ બેડરૂમમાં મળી આવી હતી, જ્યારે તેમના પત્ની જ્યોત્સના બેનની લાશ સીડીમાં પડી હતી.ઘરમાં સમાન અસ્ત વ્યસ્ત પડ્યો છે.જ્યારે ઘરનો મુખ્ય દરવાજો તોડી દેવામાં આવ્યો છે. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
