અમદાવાદ ના હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી ભાગી છૂટેલા 4 લુટારુની ઓળખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે આ ચાર પરપ્રાંતિય લુટારુ ઝાયડસ હોસ્પિટલવાળા રસ્તેથી બંગલામાં પ્રવેશ્યા હોવાનું પોલીસ તપાસ માં બહાર આવ્યું છે.હત્યારાઓ શહેરની બહાર ભાગી ગયાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.અમદાવાદ ના હેબતપુર શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સનાબહેનની હત્યા કરી રૂ.2.45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા 4 લૂંટારુ હોવાનું સ્પષ્ટ થયું છે પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફુટેજ ચેક કર્યા હતા. જેમાં ચારેય લૂંટારુ 2 બાઈક ઉપર આવ્યા હોવાનું પૂરવાર થયુ હતુ.
જો કે હજુ સુધી લૂંટારુ પોલીસની પકડમાં આવ્યા નથી. પરંતુ તેમના ફોટા અને જે બાઈક લઈને આવ્યા હતા તેના આધારે ચારેય લૂંટારુઓ અને હીસ્ટ્રીશીટર ચોર – લૂંટારુ હોવાનું પોલીસ તપાસમાં પૂરવાર થયુ છે. અશોકભાઈ અને જ્યોત્શનાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા છે. પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો છે.
પોલીસે હેબતપુર અને આસપાસના વિસ્તારના 200 જેટલા સીસીટીવીના ફુટેજ ચેક કર્યા હતા. જેમાં ચારેય આરોપી ઓળખાઈ ગયા હતા. આ ઉપરાંત સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસે 70 કરતાં પણ વધારે લોકોની પૂછપરછ કરી માહિતી મેળવી.