લોકો કોરોના માં પાયમાલ થઈ ચૂક્યા છે સેંકડો લોકો મોત ને ભેટયા છે અને હવે કોરોના ની ત્રીજી સંભવિત લહેર ને લઈ લોકો ફફડી રહયા છે કારણ કે મધ્યમ અને ગરીબ પાસે પૈસા નથી બચત ની મૂડી પણ સાફ થઈ ગઈ છે ત્યારે આ બધા વચ્ચે હવે અમદાવાદ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં સારવારના ભાવમાં વધારો કરી દેવામાં આવતા લોકો માં કચવાટ જોવા મળી રહ્યો છે. હવે આ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીએ રૂ.5 હજારથી લઈને 20 હજાર સુધીની ડિપોઝિટ ભરવી પડશે. જનરલ વોર્ડના દર્દીઓ માટે રજિસ્ટ્રેશન કરવા વધારાના રૂ.50 ચાર્જ નક્કી કરાયો છે. જનરલ વોર્ડમાં દાખલ થનારા દર્દીએ પણ 5 હજાર ડિપોઝિટ ભરવી પડશે. જોકે આ વધારો શહેરની અન્ય કોર્પોરેટ હોસ્પિટલોની સરખામણીએ ઘણો ઓછો હોવાનો તંત્રનો દાવો છે.
જનરલ આઈસીયુનો ચાર્જ બે હજાર જ્યારે અન્ય શ્રેણીના આઈસીયુનો ત્રણ હજાર ચાર્જ નક્કી કરાયો છે. સિનિયર સિટિઝન્સ માટે જિરિયાટ્રિક લેબ શરૂ કરાઈ છે.
આમ હજુ તો ધંધા અને નવી નોકરી ના ઠેકાણા નહિ હોવાથી આવક છે નહીં અને મનપા ની હોસ્પિટલમાં પણ હવે ભાવો વધતા લોકો કોરોના ન થાય તે માટે પ્રભુ ને પ્રાર્થના કરી હાલ તો નિયમો પાળી રહયા છે અને બીજા લોકો ને ભીડ નહિ કરવા જણાવી રહ્યા છે પણ જો ચૂંટણી ની રેલીઓ નીકળી તો અને ચેપ લાગ્યો તો મોંઘી સારવાર ના પૈસા કોણ આપશે તે ચિંતા લોકો ને સતાવી રહી છે.
