અમદાવાદ સિવિલ માં અગર કોઈ દર્દી દાખલ કરો તો તેની સાથેજ રહેવું પડે અગર જો થોડા આમતેમ થયા તો દર્દીનો ખાટલો ક્યારે બદલાઈ જાય તે નક્કી નહિ અને સગા ન મળે એટલે દર્દી નું શુ થાય એતો દર્દીજ જાણે ,આવોજ એક ચોંકાવનારો બનાવ સિવિલ માં બન્યો છે, વાત જાણે એમ છે કે પોરબંદર કોંગ્રેસ શહેર મંત્રી જેવો હોદ્દો સંભાળનાર પ્રવીણ ભાઈ બરીદુંન ને ગળા નું કેન્સર હોવાથી 5 મી મેં ના રોજ અમદાવાદ સિવિલ માં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં તેમને આઇસોલેશન વોર્ડ માં દાખલ કરવામાં આવ્યા હતા જે તેમના સગાઓ ને ખબર હતી પરંતુ ત્યારબાદ તેઓ તેમના બેડ ઉપર થી અચાનક ગુમ જણાયા હતા જેથી પ્રવિણભાઇ ના સગાઓ એ ભારે શોધખોળ કરી હતી પણ કોઈ જવાબ નહિ મળતા તેઓ ચિંતાતુર બન્યા હતા અને સતત આઠ દિવસ સુધી કોઈ જવાબ નહિ મળતા આખરે આ પ્રકરણ મીડિયા ના માધ્યમ થી પ્રકાશ માં આવતા હોસ્પિટલ નું તંત્ર દોડતું થઈ ગયું હતું અને આખરે હોસ્પિટલ ના જવાબદાર સુપરીટેન્ડ પ્રભાકરે આ અંગે જવાબ આપ્યો હતો કે કેન્સર ના દર્દી પ્રવીણભાઈ ને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા તેઓને કોવિડ સેન્ટર માં લઇ જવાયા હતા અને ત્યાં તેમના કોરોના સેમ્પલ લેવાયા હતા જોકે,ત્યાં તેમનું મોત થઈ ગયું હતું મૃતક નો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો જોકે,હાલ હોસ્પિટલમાં કામ નું ભારણ વધુ હોવાથી પેશન્ટ ને જે વોર્ડ માં લઇ જવાયા તે અંગે અને તેમનું મોત થયું તે જણાવી શક્યા ન હોવાની વાત કરી હતી.
હવે સગાઓ ને મૃતદેહ સોંપવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું, આમ સિવિલ માં કેવો વહીવટ ચાલે છે તેનું આ મોટું ઉદાહરણ છે.
