રમઝાન મહિનો શરૂ થતાં જ મુસ્લિમ બિરાદરો એ ઈબાદત શરૂ કરી છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ 472 દર્દીઓ કોરોનાગ્રસ્ત જેમાં મુસ્લિમ બિરાદરો પણ કોરોના પોઝીટીવ હોઈ એડમિટ છે તેમ છતાં તેઓ રમઝાન માં રોઝા પાળી રહ્યા છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે, તેઓએ રોજા રાખવાની વાત સિવિલ ના મેનેજમેન્ટ ને કરતા સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ બાબતે ત્વરિત નિર્ણય લઇ રોજા રાખનાર બિરાદરોના ભોજન સમયમાં ફેરફાર કરવામાં કરી ઈબાદત ની છૂટ અપાઈ છે.
હાલ અહીં કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરી અલ્લાહ ની બંદગી કરી રહયા છે.
આ દર્દીઓને વહેલી સવારે શહેરી સમયે 3:00 વાગ્યે દૂધ, લીંબુ શરબત અને ફળાહાર અપાય છે અને સાંજની ઇફ્તારમાં ખજૂર, દૂધ અને જ્યુસ આપવામાં આવે છે. કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરે છે અને સંપૂર્ણપણે રોજાનું પાલન કરે છે અહીં
કોરોનાના દર્દીઓને વહેલી સવારે 3:00 વાગે અને સાંજે 6:00 વાગે ભોજન આપવામાં આવે છે આમ સિવિલ માં મુસ્લિમ બિરાદરો રમઝાન મહિના માં રોઝા રાખી ઈબાદત કરી રહ્યા છે.
