અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે હવે સવાર અને બપોર ની OPD સોમવારથી ચાલુ કરવાનો નિર્ણય લેવાતા દર્દીઓ ને લાભ મળી શકશે.
સામાન્ય રીતે સવારે 9 થી 1 અને બપોરે 2 થી 4ના સમયગાળામાં દર્દીની સારવાર અને તપાસ માટે અગાઉ ઓપીડી ચાલુ રહેતી હતી પરંતુ
કોરોનાની બીજી લહેર ચાલુ થઈ જતા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી જતાં સાંજની OPD બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે કોરોના નિયંત્રણ માં આવી જતા અને હાલ વાયરલ ના કેસો વધતા સાંજ ની ઓપીડી ચાલુ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે જે સોમવાર થી રેગ્યુલર કરાશે તેમ સૂત્રો જણાવી રહયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર દેશભરમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે તેઓને હવે લાભ થશે.
