રાજ્યભરમાં આજે અનંત ચતુર્દર્શી દીને શ્રીગણેશ મહોત્સવના છેલ્લા દિવસે શ્રીજી ને અશ્રુભીની આંખે વિદાય અપાશે.
અમદાવાદ ની વાત કરવામાં આવે તો 740 સાર્વજનિક ગણેશ સહિત નાના-મોટા મળી 50 હજારથી વધુ મૂર્તિઓ નું મનપા દ્વારાબનાવેલા 41 કુંડમાં વિસર્જન થશે. આ વર્ષે 4 ફૂટથી મોટી મૂર્તિને મંજૂરી ન હોવા છતાં મ્યુનિ. વિવિધ સ્થળે 22 ક્રેન મૂકવામાં આવી છે. આ ઉપરાંત 47 જેસીબી અને 126 ડમ્પરની વ્યવસ્થા કરાઈ છે. વિસર્જન માટે ફાયર વિભાગના 170થી વધુ કર્મચારી હાજર છે. ચાલુ વર્ષે પોલીસે ગણેશ વિસર્જન માટે સરઘસની મંજૂરી આપી હોવાથી સાવચેતી ના ભાગરૂપે 10 હજાર પોલીસ સુરક્ષા કર્મચારી ફરજ ઉપર છે.
પોલીસે સાર્વજનિક ગણેશ વિસર્જનના સરઘસમાં માત્ર 15 વ્યકિતને જોડાવવા માટેની મંજૂરી આપી છે. આટલું જ નહીં જો ગણેશોત્સવનું સ્થળ અને વિસર્જનનું સ્થળ જુદા જુદા ઝોનમાં આવતુ હોય તો વિસર્જન માટે પોલીસ કમિશનર કચેરીમાંથી મંજૂરી લઈ શ્રીજી વિસર્જન ની વ્યવસ્થા ગોઠવાઈ છે . જ્યારે ગણેશોત્સવનું સ્થળ અને વિસર્જનનું સ્થળ એક જ ઝોનમાં આવતું હોય તો સ્થાનિક પોલીસની મંજૂરી લેવામાં આવી છે.
આજે શ્રીજી ના વિસર્જન માટે સવારે 9.31થી 12.33 વાગ્યા સુધી,
બપોરે 14.4થી 15.35 વાગ્યા સુધી અને સાંજે 18.38થી 23.04 વાગ્યા સુધી શુભ મુહૂર્ત હોય તે રીતે પૂજાપાઠ બાદ વિસર્જન ની તૈયારીઓ થઈ રહી છે.
