દેશ માં નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં થઇ રહેલા સતત વધારા વચ્ચે વિદેશ માંથી મોટી સંખ્યા માં મુસાફરો ભારત માં આવી રહયા છે જેથી કોરોના વાઇરસ ફરી માથું ઊચકે એવી દહેશત વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ઉપર આજે વિદેશમાંથી 14 ફ્લાઇટમાં લગભગ 2 હજારથી વધારે મુસાફરો આવનાર હોય તંત્ર એલર્ટ થઈ ગયું છે.
અમદાવાદ એરપોર્ટ ઉપર જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ આવવાની છે એમાં ‘હાઇ રિસ્ક કન્ટ્રી’ માંથી મોટી સંખ્યામાં મુસાફરો આવનાર હોય તંત્ર એલર્ટ થઇ ગયું છે.
આજે રાત્રે 9.50 વાગ્યે સિંગાપોર એરલાઇન્સની અમદાવાદ આવનારી ફ્લાઇટમાં જ200 જેટલા મુસાફરો હશે
આ ફ્લાઇટના તમામ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. RTPCR ટેસ્ટના રીઝલ્ટ બાદ જ આ મુસાફરોને જવા દેવામાં આવશે. આજે એક જ દિવસમાં 2 હજાર જેટલા વિદેશથી આવનારા મુસાફરો ને લઈ એરપોર્ટ ઉપર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે વિદેશ થી આવનાર મુસાફરો દ્વારા કોરોના વકરવાની શકયતા વધુ હોય અને ત્રીજી લહેર ની શકયતા ઉભી થતા તંત્ર માં ફફડાટ જોવા મળી રહ્યો છે.
2
/ 100
SEO સ્કોર