ગુજરાત કોંગ્રેસ ના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીની તબીયત ગંભીર હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે,ભરતસિંહ સોલંકી ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેઓને પ્રથમ વડોદરાની બેંકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ લથડતા થતાં તેઓને તત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેમની તબિયત ગંભીર બતાવવામાં આવી છે. ભરતસિંહને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
તેઓને કોરોના ની સાથે સાથે અસ્થમા, ડાયાબિટીસ અને હાઈપરટેંશન જેવી અનેક બીમારીઓ પણ છે. જેના કારણે કોરોનામાં તેમની તબિયત વધુ બગડતી જઈ રહી છે. ડોક્ટરોની ટીમ ખડેપગે તેમની સારવાર કરી રહયા છે અને હમણાં સ્થિતિ માં થોડો સુધારો હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલા કોંગી નેતા ઓક્સિજન સપોર્ટ પર હોવાના અહેવાલો બાદ સબંધીતો ચિંતા માં મુકાયા હતા જોકે,ડોક્ટરો ની ટીમ ખડેપગે હાજર હોય હાલ છેલ્લા સમાચાર મુજબ તબિયત સ્થિર હોવાની વિગતો સામે આવી રહી છે.
