એક તરફ કોરોના જેવી ભયંકર બીમારી ફાટી નીકળી છે તેવા સમયે લૂંટારૂઓ પણ રાતોરાત કમાઈ લેવા સક્રિય બન્યા છે અને નકલી રેમડેસિવિર ઈન્જેક્શન હોય કે અન્ય ઇન્જેક્શન હોય ઓક્સિજનની બોટલ હોય આવા ઈસમો તમામ જગ્યાએ કાળા બજાર કરતાં ઝડપાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં ઓક્સિજન ના કાળા બજાર કરી રહેલા ત્રણ શખ્સોને પોલીસે 39 બોટલ સાથે ઝડપી લીધા છે. આ ત્રણેય ઈસમો જરૂરિયાતમંદ લોકો ની મજબુરી નો ફાયદો ઉઠાવી તેઓ પાસેથી રૂ.15થી લઈને 25 હજાર સુધીની રકમ વસૂલતા હોવાની હકીકત સામે આવી છે.
અમદાવાદ ના સરખેજ માં આવેલ એક ગોડાઉનમાં કેટલાક ઈસમો વર્તમાન પરિસ્થિતિ નો લાભ ઉઠાવી ઉંચા ભાવે ઓક્સિજનની બોટલ વેચતા હોવા અંગેની ક્રાઈમ બ્રાંચના PI એ.વાય.બલોચને મળેલી બાતમીના આધારે ગોડાઉન ઉપર રેડ કરતા 39 ઓક્સિજન સિલિન્ડર જે મેડિકલ ઉપયોગમાં લેવામાં આવે છે તે મળી આવ્યાં હતા પોલીસે આ ઘટના માં
તોફીક શેખ અને મોહમ્મદ કસરત તેમજ ઉર્વેશ મેમણ ની ધરપકડ કરી હતી સિલિન્ડર સાથે ઝડપાયેલા ત્રણ શખ્સોની પોલીસે પુછપરછ કરતાં તેનું વેચાણ કાળા બજારમાં થતું હોવાનું જણાવ્યું હતું. ઓક્સિજન વેચતા ઉર્વેશ મેમણ, તોફીક શેખ અને મોહમ્મદ કસરત શેખ નામના આ શખ્સો ભેગા મળીને ઓક્સિજન સિલિન્ડર બજાર કિંમત કરતા ઊંચા ભાવે વેચતા હોવાનું સામે આવ્યું હતું. હાલ તમામ આરોપીઓની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ આરોપી સરખેજ પાસે આવેલા ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનમા કામ કરતા હતા.
પરંતુ તે ગોડાઉનના માલિક દ્વારા કોરોના સમયમાં ઓક્સિજનની અછત સર્જાતા તેનું વેચાણ શરુ કરવાની સુચના આપી હતી. અને આશરે 250 જેટલા સિલિન્ડર આપ્યા હતા. ફરાર માલિક પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે ગોડાઉનમાં કામ કરતા અને ઓક્સિજનનુ વેચાણ કરતા આરોપીની પુછપરછ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે, 25 એપ્રિલથી આ ઓક્સિજનનુ વેચાણ થઈ રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે. ઝડપાયેલા આરોપીએ 200 કરતા વધુ ઓક્સિજન સિલિન્ડર રાજ્યભરમાં વેચ્યા હોવાની વિગતો સામે આવી હતી.