અમદાવાદ માં કોરોના ની સ્થિતિ હજુપણ વિકટ છે અને લોકો આ વિચિત્ર રોગ થી કંટાળી ગયા છે આ બધા વચ્ચે એક નવી મુસીબત સામે આવી છે જેમાં ખાનગી હોસ્પિટલના ડૉક્ટર કોરોનાના ટેસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન લખીને આપે અને તેના આધારે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવે તો તે દર્દીને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાતી ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. અને કોઈ પેશન્ટ આ વાત નો વિરોધ કરે તો સરકારી હોસ્પિટલો પેશન્ટને દાખલ તો કરી દે છે, પરંતુ તેમાં પણ પેશન્ટનો કોરોનાનો ટેસ્ટ ફરી વખત સરકારી લેબોરેટરીમાં કરવામાં આવે છે.
વિગતો મુજબ ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો મ્યુનિ.ના હેલ્થ ખાતાની ટીમ સીધી જ ત્યાં પહોંચી જાય છે અને તપાસ કરે છે. જોકે તે તપાસ પેશન્ટને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટે નથી હોતી પરંતુ પેશન્ટની વિગતો જાણવા પૂરતું જ હોય છે તેવી વાત પણ છે. બીજુ કે
સરકારી લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે મોટા ભાગના લોકો ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાનું મુનાસિફ માને છે, પરંતુ તેમને તે વાતની જાણ હોતી નથી કે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા પછી તેમને સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે નહીં.
હવે આ મુસીબત માંથી કોણ છુટકારો અપાવે તે કોઈને ખબર નથી કારણ કે અહીં કોઈ કોઈ નું સાંભળતું નથી અને સરકાર નું પણ કોઈ સંકલન નથી અને કોઈ કોઈ ને ગણતા નથી ત્યારે સરવાળે જનતા નો મરો થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
