ગુજરાત માં દિવાળી બાદ કોરોના ના કેસો ચિંતાજનક રીતે આગળ વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના ના સૌથી વધૂ કુલ 1560 કેસ નોંધાયા છે અને 16 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. બીજી તરફ 1302 દર્દીઓ સાજા પણ થયા છે.
ગુજરાતમાં આજે કોરોનાનાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જો જિલ્લાવાર કોરોનાનાં કેસોની વિગતો પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 361 કેસ 12નાં મોત, સુરતમાં 289 કેસ 3નાં મોત, વડોદરમાં 180 કેસ એકનું મોત, રાજકોટમાં 138 અને ગાંધીનગરમાં 70 કેસ, જામનગરમાં 45 અન જૂનાગઢમાં 24 કેસ, પાટણમાં 64, બનાસકાંઠામાં 41 કેસ, મહેસાણામાં 40, પંચમહાલમાં 29, આણંદમાં 28 કેસ, ખેડામાં 28, મહિસાગરમાં 26, દાહોદમાં 23 કેસ, ભરૂચ-કચ્છમાં 21-21, અમરેલીમાં 20 કેસ, મોરબી-સાબરકાંઠામાં 20-20, સુરેન્દ્રનગરમાં 17 કેસ કેસ નોંધાયા હતા.
