ગુજરાતમાં લોકડાઉન માં છૂટછાટ બાદ કોરોના પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને દૈનિક મિનિમમ 500 નોંધાઈ રહ્યાના અહેવાલો વચ્ચે રાજ્ય સરકારે કોરોના ને કંટ્રોલ કરવા માટે કેન્દ્ર ની ગાઈડ લાઇન મુજબ ગુજરાતનાં જાણીતા તબીબો ને લઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સમાં ડૉ.તેજસ પટેલ, ડૉ.પંકજ પટેલ, ડૉ.આર.કે.પટેલ, ડૉ.અતુલ પટેલ, ડૉ.તુષાર પટેલ, ડૉ. મહર્ષિ દેસાઈ, ડૉ.દિલીપ માવલંકર, ડૉ.અમીબેન પરીખ, ડૉ.વી.એન.શાહ ની વિશેષ ડૉક્ટરની ટીમ બનાવવામાં આવી છે. અગાઉ કોરોના મહામારીને કારણે આરોગ્ય સચિવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બંધ કરવામાં આવી હતી. પણ આજે ટાસ્ક ફોર્સની જાહેરાત માટે સરકારે ફરીથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ડો. તેજસ પટેલે પત્રકારો ને જણાવ્યું કે,કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે નવો છે. તેની કોઈ કાયમી ટ્રીટમેન્ટ કે કોઈ દવા નથી બની તેવા સમયે જેને અસર ન હોય તેને ટેસ્ટની જરૂર નથી. કોરોનાના વધુ લક્ષણો હોય તેના માટે ટેસ્ટ જરૂરી છે. પ્રથમ લક્ષણ 8થી 10 દિવસમાં દેખાય છે. ઉંમર વધે તેમ રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આ ઉપરાંત 100માંથી 85 દર્દી જાતે જ સાજા થઈ જાય છે. ગંભીર દર્દીઓનું ધ્યાન રાખવું તેની પર ભાર મુકવામાં આવ્યો છે. આમ હવે આ તબીબો ની ટીમ ની કામગીરી શુ રંગ લાવે છે તેતો સમય જ બતાવશે, બાકી હાલ નું કોરોના નું વાસ્તવિક ચિત્ર ખુબજ ભયાનક હોવાનું જણાય રહ્યું છે.
