કોરોના ની સ્થિતિ માં શિક્ષણ ને માઠી અસર થઈ છે ત્યારે સ્કૂલ કોલેજ ચાલુ નહીં હોવાથી રિઝલ્ટ મેળવવાની તકલીફ પડી રહી છે, તેવે સમયે આઈટીઆઈ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ધો. 10-12 સમકક્ષ પ્રમાણપત્ર લેવા ગાંધીનગર બોર્ડની ઓફિસે આવવું નહીં પડે. તેમને આ માર્કશીટ ઓનલાઈન મળી રહેશે. હવે વિદ્યાર્થીઓ ગુણપત્રક, માઈગ્રેશન પ્રમાણપત્રોની ચકાસણી પણ ઓનલાઈન કરી શકાશે. સાથે જ આ વર્ષે જે વિદ્યાર્થીઓની માર્કશીટ ખોવાઈ ગઈ છે તેઓને ડુપ્લિકેટ કોપી ઓનલાઈન મળી શકશે.આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ ને આ સુવિધા નો લાભ લેવા જણાવાયુ છે.
