અમદાવાદ ના ચાંદખેડામાં રહેતા કેન્દ્રિય વિદ્યાલયના પ્રિન્સિપાલના બંગલાના ગેટ પાસે ગાડીમાં આવેલા નાગા બાવાએ પ્રિન્સિપાલ ને સરમાંનું પૂછતાં નજીક આવેલા પ્રિન્સીપાલ ના ગળામાંથી સોનાનો ચેઇન તોડી નાગો બાવો ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી.
વિગતો મુજબ
ચાંદખેડા મોટેરા રોડ શિવમ બંગલોઝમાં રહેતા અર્ધકુમાર પ્રસાદ ગાંધીનગર સીઆરપીએફ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેઓ સવારે 6 વાગ્યે દૂધ લેવા માટે મોટેરા આઈડીપી સ્કૂલ પાસે ગયા હતા અને દૂધ લઇને પાછા ઘરે આવ્યા હતા ત્યારે તેમના બંગલાના ગેટ પાસે પહોંચ્યા તે વખતે મોટેરા શાકમાર્કેટ બાજુથી એક ગાડી આવીને તેમના બંગલા પાસે ઊભી રહી હતી. ગાડીમાં 2 વ્યક્તિ બેઠા હતા, જેમાં ચાલકની બાજુની સીટમાં માથે કેસરી ટોપી પહેરીને શરીર ઉપર ભભૂતિ લગાવીને બાવો બેઠો હતો. કારચાલકે અર્ધકુમારને કહ્યું હતું કે, બાબાજી કો આરામ કરના હૈ, યહાં પર કોઇ આશ્રમ યા મંદિર કહાં હૈ, તેમ કહેતાં અર્ધકુમારે ચાલકને કહ્યું હતું કે, યહાં કોટેશ્વર મંદિર હૈ, આશ્રમ કા મુજે પતા નહીં. તેમ કહેતા તે બંને ગુજરાતીમાં વાત કરતા હતા. જોકે અર્ધકુમારને ગુજરાતી બરાબર આવતુ નહીં હોવાથી તેઓ નાગા બાવા પાસે ગયા હતા અને થોડા નીચા વળીને વાત સાંભળવાનો પ્રયાસ કરતા હતા ત્યારે નાગા બાવાએ મોકો જોઈ તેમના ગળામાંથી રૂ.37 હજારની કિંમતનો સોનાનો ચેઇન તોડી લીધો હતો અને
કારચાલકે કાર કોટેશ્વર તરફ ભગાવી મૂકી હતી સવાર સવાર માં લૂંટાયેલા અર્ધકુમારે આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.જેમાં
કારચાલકે કાળા રંગનું માસ્ક પહેર્યું હતું, જ્યારે બાવાએ માથે કેસરી ટોપી પહેરી હતી. જોકે તેઓ જે કારમાં આવ્યા હતા કે કારની નંબર પ્લેટ ન હતી, જેથી કારનો નંબર જાણી શકાયો નથી. થોડા સમય પહેલા રાણીપ અને ચાંદખેડામાં આ જ પ્રકારના 2 બનાવ બન્યા હતા. તે બંને ઘટનામાં નાગા બાવા કારમાં જ આવ્યા હતા, જેથી આ એક જ ગેંગ હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. જોકે આ બનાવ ને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.
