હાલ કોરોના નું સંક્રમણ ઓછું થયું છે અને મંદીરો ખુલ્યા છે ત્યારે અમદાવાદ માં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાવા અંગે હજી સુધી કોઇ સત્તાવાર નિવેદન બહાર પડાયુ નથી, જોકે રથયાત્રા અગાઉ આજે ગુરુવારે જળયાત્રા મહોત્સવ નો મંદિર ખાતે પરંપરાગત રીતે પ્રારંભ થઈ રહ્યો છે.
અમદાવાદ જમાલપુર જગન્નાથ મંદિર ખાતે થી જળયાત્રા નીકળી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી, જ્યાં જળયાત્રાની પૂજા શરૂ થઈ હતી. હવે પાંચ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યું અને એનાથી ભગવાનનો જળાભિષેક શરૂ થયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભરી જળયાત્રા માં જોડાયા હતા.
