શિવરાત્રી પર્વ ની ઠેરઠેર ઉજવણી કરાઈ રહી છે ત્યારે અમદાવાદના મોટેરા ગામ ખાતે આવેલ શ્રી કોટેશ્વર મહાદેવનું મંદિર શિવરાત્રીના દિવસે જ ભક્તો માટે બંધ રાખવામાં આવતા ભક્તો ની લાગણી દુભાઈ છે, જોકે કોરોનાના કારણે ભક્તોની ભીડ ના ઉમટે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું તંત્ર જણાવી રહયુ છે. પરંતુ આ અંગેની અગાઉ કોઈ જાણ નહોતી કરવામાં આવી તેવો શિવભક્તો આક્ષેપ કરી રહ્યા છે.જેથી આજે શિવભક્તો એ મહાદેવના દર્શન વિના જ પરત ફરવું પડ્યું હતું.
આ મંદિર ઘણા વર્ષો પુરાણું છે. જેથી લોકોની શ્રદ્ધા અને આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. માત્ર અમદાવાદ નહીં પરંતુ લોકો દુર દુરથી આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે દર વર્ષે આ મંદિરમાં શિવરાત્રીના દિવસે લોકો ને ઉભા રહેવાની પણ જગ્યા ન મળે તેવી દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે પરંતુ આ વખતે તેઓ ભોલેનાથના દર્શન કર્યા વગર પરત ફરવું પડ્યું છે. જોકે મોટા ભાગમાં લોકોને પોલીસ બહારથી જ પરત મોકલી રહી છે.
