ગુજરાત માં કોરોના નું સંક્રમણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે ત્યારે જે તે શહેર ના તંત્ર ને ખાસ સૂચના આપી કેટલાક નવા નિયમો અમલ માં આવે તેવી શક્યતા છે. અનલોક દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું રાજ્ય માં પાલન ન થતું હોવાની સાથે અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસો માં ચિંતાજનક વધારો થતાં સરકારે અનલોક પર અંકુશ મુકવાની શરૂઆત અમદાવાદથી કરી દીધી છે. સરકારે રાજ્યના અન્ય શહેરના અધિકારીઓ ને પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની છૂટછાટ આપતા હવે અન્ય શહેર માં પણ કોરોના ના નિયમો નો કડક અમલ શરૂ થવાની શક્યતા છે. લોક ડાઉન ખુલતા જ કડક દંડ ની જોગવાઈ હોવા છતાં લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે. જેના કારણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રાત્રી અંકુશ લાદવાની સરકારને ફરજ પડી છે. સરકારો જ્યાં જ્યાં કોરોના કેસ વધી રહ્યા છે અને વાઈરસ પ્રોટોકોલનું પાલન થતું નથી, તે મહાનગર તથા શહેરો માં ફરી એકવાર કડક નિયમો આવી શકે છે.
ગુજરાતમાં એક તરફ નવરાત્રી અને દિવાળીના તહેવારોની મૌસમ આવી રહી છે અને રોજગારી તો ઠીક તે સિવાય પણ વિના કારણે લોકોની અવરજવર અને ભીડભડ પણ વધી છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન પણ તબક્કાવાર શરૂ થયુ છે. તેના કારણે જે સ્થિતિ સર્જાઈ રહી છે, તે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. તેના કારણે અન્ય શહેરોમાં પણ પ્રતિબંધાત્મક આદેશો આવવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે.
