દેશ માં કોરોના ની સ્થિતી ખુબજ વકરતી જઇ રહી છે અને સાચું ચિત્ર હવે બહાર આવતું જાય છે ભલે દાવા ગમે તે કરવામાં આવતા હોય પણ વાસ્તવિકતા કઈક અલગ જ છે ગુજરાત રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બની રહી છે અને લોક ડાઉન ખુલ્યા બાદ ગુજરાતમાં કોરોનાનાં કેસો નો આંકડો ઝડપ થી વધી ગયો છે હવે રોજના 800 નજીક કેસો નોંધાઇ રહ્યા છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીનાં સૌથી વધારે 778 કેસો નોંધાયા છે. આ બધા વચ્ચે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે જેમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં એક જ પરિવારના 10 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. અને આથી પણ મોટા ન્યૂઝ સામે આવી રહ્યા છે જેમાં અમદાવાદમાં એક જ એપોર્ટમેન્ટમાં કોરોનાના 22 કેસ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે અહીંના ગિરધરનગરના જુલી એપાર્ટમેન્ટમાં 22 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે. તંત્ર દ્વારા સોસાયટીને બંધ કરી દેવામાં આવી છે અને એક જ સોસાયટીમાં આટલા બધા કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ સોસાયટીના તમામ લોકોને તેમના ઘરમાં રહેવા જ તંત્ર દ્વારા સુચના આપી દેવામાં આવી છે.
અનલોકનાં તબક્કામાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અમદાવાદમાં કેસો ઘટ્યા છે, જેની સામે સુરતમાં સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
લોકડાઉન ખુલ્યા બાદ જે ડર હતો તે હવે થયું છે અને કોરોના ખુબજ ઝડપ થી સ્પ્રેડ થઈ ગયો છે અને હવે તો આખી સોસાયટીઓ જ કોરોના થી સંક્રમિત થઈ રહી છે તે જોતા હવે પછી નો તબબ્બકો ખુબજ ડરામણો સાબિત થાય તેવી સ્થિતી જોવા મળી રહી છે.
