કોરોના માં કામધંધા બંધ થઈ જતા અનેક લોકો મુસીબત માં ફસાઇ ગયા છે અને અત્યારસુધી કેટલાય લોકો એ આત્મહત્યા કરી લીધી હોવાના ગંભીર બનાવો સામે આવ્યા છે ત્યારે આવા પરિવારો ને હિંમત થી કામ લઈ આગળ વધવા બુઝુર્ગો જણાવી રહ્યા છે.
અમદાવાદમાં લોકડાઉન માં ધંધા બંધ થઈ જતા અને કોઈ જગ્યાએ થી રાહત નહીં મળતા આર્થિક તંગીથી કંટાળીને એક યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
મણિનગર પોલીસે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, લૉકડાઉન થયું ત્યારબાદથી દરજી કામ કરતા કનૈયાલાલ આર્થિક તંગીથી પીડાતા હતા. જોકે જેમ તેમ લૉકડાઉન પૂર્ણ થઈ ગયું હતું, તેમ છતાં પણ તેમના ધંધામાં કોઈ વધારો થયો ન હતો અને તેમની સ્થિતિ જેમની તેમ જ રહી હતી અને ઘરમાં આર્થિક તંગીનું પ્રમાણ ઘટવા ને બદલે વધ્યું હતું અને કોઈ રાહત નહિ મળતા તેઓ
માનસિક રીતે હારી જઇ નાસીપાસ થઈ ગયા હતા અને કનૈયાલાલ લાંબા સમયથી ગુમસુમ રહેતા હતા. છેવટે આર્થિક તંગીના કારણે કંટાળીને શુક્રવારે સવારના તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે અકસ્માત મોતનોગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ ને પગલે સબંધીતો માં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
