ગુજરાત સહિત દેશમાં હાલ બેરોજગારી ની સમસ્યા વિકરાળ બની રહી છે અને મોંઘાદાટ શિક્ષણ માંથી પસાર થઈ બરબાદ બનેલા પરિવારો ને આશા હોય છે કે નોકરી મળશે તો શિક્ષણ માં ગુમાવેલા પૈસા પાછા કવર થઇ જશે પરંતુ એવું થતું નથી તેથી લાખ્ખો પરિવારો માં નિરાશા નું મોજું ફરી વળ્યું છે ,હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન વિરોધ પક્ષના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અંગે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે કેટલા બેરોજગારોને સરકારી નોકરી મળી તે અંગે જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યમાં કુલ 4 લાખ 58 હજાર 96 બેરોજગારો નોંધાયેલા છે. જે પૈકી છેલ્લા બે વર્ષમાં 2,223ને સરકારી નોકરી મળી છે. તેની સામે 7 લાખ 32 હજાર 139 બેરોજગારોને ખાનગી નોકરી મળી છે. આમ છેલ્લા બે વર્ષમાં કુલ ખાનગી અને સરકારી મળીને 7 લાખ 34 હજાર 362ને નોકરી મળી છે. જેમાં 0.30 ટકા બેરોજગારોને સરકારી અને 99.69 ટકાનેખાનગી નોકરી મળી છે.
તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, રાજ્યના 14 જિલ્લામાંથી એકપણ બેરોજગારને સરકારી નોકરી મળી નથી.
રાજ્યમાં હાલ 4 લાખ 34 હજાર 663 શિક્ષિત બેરોજગારો જ્યારે 23 હજાર 433 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે અમદાવાદ 38,611 શિક્ષિત અને 4364 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે પ્રથમ નંબર પર, 26,563 શિક્ષિત બેરોજગારો અને 952 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે વડોદરા બીજા નંબર પર, 22,445 શિક્ષિત અને 620 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે આણંદ ત્રીજા નંબર પર, 21,544 શિક્ષિત અને 603 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે મહેસાણા ચોથા નંબર પર અને 21055 શિક્ષિત બેરોજગારો અને 1572 અર્ધશિક્ષિત બેરોજગારો સાથે રાજકોટ પાંચમાં નંબર પર છે.ત્યારે આ આંકડા ચોંકાવનારા છે એક તરફ ટ્યૂશન ફી અને શાળાની ફી ભરીને બરબાદ થઈ રહેલા મધ્યમ વર્ગ ના પરિવારો ના બાળકો ને યુવા વયે નોકરી નહિ મળતા કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે કેમકે મોટાભાગ ના લોકો એ પોતાના ઘરેણાં , જમીન કે બચત વાપરી ને બાળકો ને ભણાવ્યા હોય છે જેઓ યુવા વયે બેકાર થઈ જતા જનતા માં એક પ્રકાર ની નિરાશા જોવા મળી રહી છે.
