કોરોના થી સર્જાયેલી અસ્તવ્યસ્ત સ્થિતિ વચ્ચે સરકારે મફત અનાજ વિતરણ માટે ની જાહેરાત બાદ લોકો વહેલી સવાર થીજ અનાજ મેળવવા ઘર બહાર નીકળી ગયા હતા ,આજે 1લી એપ્રિલથી રાજ્યભરમાં સવા ત્રણ કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવનાર છે અને 4 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી મજૂરી અર્થે આવતા શ્રમિકોને મફતમાં અનાજ આપવામાં આવશે.તેવી જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના અંત્યોદય અને P.H.H રાશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોના 3.25 કરોડ લોકોને આજથી 17000 જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટે મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોમાં 4 લોકોની અને શહેરી ક્ષેત્રોમાં 3 લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે. ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે. શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું છે જોકે , રેશનકાર્ડ માં પણ બધાને આ લાભ નહિ મળે તે સાંભળી અન્ય લોકો નિરાશ થયા હતા કારણ કે આ સ્થિતિ માં બધાને જરૂર હોય છે ત્યારે સરકારે તમામ નાગરિકો ને આ લાભ મળે તેવું કરવાનું હતું તેમ લોકો માં ચર્ચાતું હતું.
