અમદાવાદ રેલવે દ્વારા કાલે 1 જૂનથી વિશેષ ટ્રેનો તેના નિર્ધારિત સમય મુજબ દોડશે અને તમામ નિર્ધારિત સ્ટેશનો પર ઊભી રહેશે. જોકે અમદાવાદ સ્ટેશનેથી શરૂ થનાર વિશેષ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે તેવી અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હાલ સાબરમતીથી ઉપડતી રાજધાની એક્સપ્રેસ પણ અમદાવાદથી ઉપડશે અને આ ટ્રેન પણ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે. આથી તમામ પેસેન્જરોએ કાલુપુર સ્ટેશને જ જવું પડશે.
અમદાવાદ- દિલ્હી આશ્રમ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે. તેજ રીતે અમદાવાદ – દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ – વારાણસી સાબરમતી એક્સપ્રેસની સાથે અમદાવાદ મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ અને અમદાવાદ-હાવડા એક્સપ્રેસ મણિનગર સ્ટેશને ઊભી નહીં રહે. તેથી તમામ પેસેન્જરોએ ટ્રેન પકડવા માટે કાલુપુર થી જ ટ્રેન માં બેસવું પડશે.
1 જૂન 2020થી અમદાવાદ સ્ટેશનથી કુલ 10 ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. જેમાં વર્તમાનમાં સાબરમતીથી ચાલી રહેલી ટ્રેન સંખ્યા 02957/02958 સાબરમતી-નવી દિલ્હી એસી સ્પેશિયલને 01 જૂનથી અમદાવાદ સ્ટેશનથી નવી દિલ્લી માટે ચલાવામાં આવશે તથા આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી સ્ટેશન પર ઉભી નહી રહે. જેમણે આ ટ્રેનની ટિકિટ સાબરમતી સ્ટેશનથી લીધી છે તેઓએ ટ્રેનમાં બેસવા/ઉતરવા અમદાવાદ સ્ટેશન
