અમદાવાદ માં એક હજાર કરોડ ના ખર્ચે જાસપુરમાં ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વના સૌથી ઊંચા 431 ફૂટના ઉમિયા માતા મંદિર નો ભવ્ય શિલાન્યાસ સમારોહ યોજાયો હતો,બીજા દિવસે આ રકમમાં 40 કરોડ ખૂટે છે એવી કાર્યક્રમના મુખ્ય સંયોજક આર.પી. પટેલે જાહેરાત કરતાં માત્ર 17 મિનિટમાં 30 કરોડનું દાન આવ્યું હતું. એક ગુપ્ત દાતાએ 25 કરોડ લખાવ્યા હતા. આ ઉપરાંત મૂળ નંદાસણના અને હાલ મુંબઈમાં રહેતા 51 કરોડના એક દાતાએ વધુ 11 કરોડ લખાવ્યા હતા. કુલ 110 મિનિટમાં 136 કરોડનું દાન આવ્યું હતું. મંદિરનો નિર્માણ ખર્ચ એક હજાર કરોડ થશે, ઉમિયાધામ શિલાન્યાસ સમારોહના બીજા દિવસે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંતો હાજર હતા ત્યારે જ મંચ પરથી સંયોજક આર. પી. પટેલે નિર્માણ ખર્ચ માટે 40 કરોડ ખૂટતાં હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ 17 મિનિટમાં 30 કરોડ એકત્રિત થઈ ગયા હતા. શનિવારે સાંજે વિશ્વ ઉમિયાધામમાં 30 બગીની યાત્રા પણ નીકળી હતી. પ્રત્યેક બગીમાં પાંચ-પાંચ કરોડના દાતાને બેસાડાયા હતા.
ભારતીય-જર્મન આર્કિટેક્ટે મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી.
ઇન્ડો જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરી છે. જોકે મંદિરના નિર્માણમાં પાંચ વર્ષનો સમય નીકળી જશે
સમારોહ સવારે 8 વાગ્યે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાનું દાતાઓના હસ્તે પૂજન સાથે થયો હતો
અને 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ યોજાયો જેમાં સંતો, મહંતો આર્શીવચનો આપ્યા હતા તેમજ સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા 431 ફૂટ ઊંચાઆ મંદિર નું નિર્માણ 100 વીઘા જમીનમાં 1 હજાર કરોડના ખર્ચે થનાર છે.
431 ફૂટ ઉંચા મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
જાસપુર વિશ્વ ઉમિયા ધામ ખાતે વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનાવાશે. પાંચ વીઘા જમીન માં બનનારા ટ્રી મ્યુઝિયમમાં 2 લાખ 51 હજાર વૃક્ષ ઉગાડવામાં આવશે. 3 હજાર જેટલા વૃક્ષ વિદેશથી મંગાવાશે ગુજરાત નું સૌથી મોટુ પાર્કિંગ બનનાર છે જેમાં એક સાથે 3500 જેટલા વાહનોનું પાર્કિંગ થઇ શકશે. વિશાળ મંદિર ની ભવ્યતા સોળે કળા એ ખીલી ઉઠશે
