Ahmedabad crime news – બહેનના લીધે બનેવી ની હત્યા
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં સાળો બનેવીને છરીના ઘા મારીને બહેનના ઘર બહાર ઈજાગ્રસ્ત હાલતમાં નાખી ગયો હતો. જેમાં લોહીલુહાણ થયેલા બનેવીનું મોત થયું હતું. બનેવીની હત્યા પાછળનું કારણ પણ ચોંકાવનારું જણાઈ છે, જેમાં થોડા દિવસ અગાઉ બહેને ભાઈને કહ્યું હતું કે, તારા બનેવી રૂપિયા માટે ઝઘડો કરે છે જે અંગે અદાવત રાખીને સાળાએ હત્યાને અંજામ આપ્યો હતો. હવે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વટવા વિસ્તારમાં રહેતા રંજનબેન સુરેશ મારવાડીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ સુરેશભાઈને લોહીલુહાણ હાલતમાં તેમના ભાઈ ઘર પાસે નાખીને જતો રહ્યો હતો. સુરેશભાઈને ભારે લોહી નીકળી ગયું હતું જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. રંજનબેનના ભાઈ મુકેશ ડાભીએ તેમના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઘર નજીક ફેંકી દીધો હતો.
બહેને કરી હતી ભાઈને પતિ વિરુદ્ધ ઝગડાની ની ફરિયાદ
જેમાં બહેન નો ભાઈ મુકેશ ડાભીને થોડા દિવસ પહેલા રંજનબેને કહ્યું હતું કે, તારા બનેવી સુરેશની આવક સારી ન હોવાથી તે રૂપિયા બાબતે સતત મારી સાથે ઝઘડો કરે છે. આ વાતના લીધે મુકેશે સુરેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન મુકેશે ‘મારી બેન સાથે કેમ ઝઘડો કરે છે?’ એમ કહીને પોતાની પાસેના હથિયારના ઘા સુરેશભાઈની છાતીમાં મારી દીધા હતા. જેથી સુરેશનું ખુબ જ લોહી વહી જતા મોત નીપજ્યું હતું. હાલ આ અંગે પોલીસે મુકેશની ધરપકડ કરી છે.