રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલોની બહાર દર્દીઓની હાલત એટલી કફોડી થઇ ગઇ છે કે, તેઓએ ફૂટપાથ પર જ રઝવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં કોરોનાની સારવારના અભાવે સિવિલની બહાર ફૂટપાથ પર જ એક કોરોના દર્દી ઢળી પડ્યો. જો કે તેને જોતા સૌ કોઇ પહેલાં તો એવું વિચારશે કે શું આ કોઇ દારૂડિયો છે. પરંતુ હકીકત કંઇક અલગ જ છે. હોસ્પિટલમાં સારવારના અભાવે તેમજ ઓક્સિજન બેડ ન મળતા લોકો ફૂટપાથ પર રઝળી રહ્યાં છે.દર્દથી પિડાતા અને દયનીય હાલતમાં જમીન પર સૂતેલા 28 વર્ષીય દિનેશ કુમાર કે જેઓ તે ખેડામાં આવેલી કોસ્મેટિક કંપનીમાં કામ કરે છે. દિનેશ કુમાર દિલ્હીના રહેવાસી છે કે જેઓ ગુજરાતમાં રોજગારી માટે એકલા જ આવ્યાં હતાં. અહીં કામ કરતી સમયે તેઓ કોરોના મહામારીનો શિકાર બન્યાં હતાં. જ્યાં તેમની તબિયત અત્યંત ખરાબ થતાં તેમની સાથે રહેતા અન્ય મિત્રો દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવા માટે પ્રયત્નો કરવામાં આવ્યાં પરંતુ ખેડામાં પણ હાલત ખરાબ હોઇ તેઓ તેમણે ખેડાથી લઈને અમદાવાદની અનેક હોસ્પિટલોમાં ભટક્યાં પરંતુ ક્યાંય પણ તેઓને સારવાર ન મળી.અમદાવાદની કુલ વસ્તીના હજુ માંડ અડધો ટકા લોકોને જ કોરોના થયો છે, એટલામાં તો AMC એ ઘૂંટણિયા ટેકવી દીધાં છે. અમદાવાદના શહેરીજનોની હાલત કફોડી થઇ ગઇ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરૂણ દ્રશ્યો તો હવે રોજિંદી ઘટના બની ગઇ છે.
